હવે માર્કેટમાં નવો ફ્રોડ આવ્યો છે, જાણી લો તો ફાયદામાં રહેશો
Call Merging Scam: મિસ્ડ કોલ ફ્રોડ પછી હવે માર્કેટમાં હવે નવું સ્કેમ બહાર આવ્યું છે, જેનાથી સતર્ક રહેવાનું જરુરી છે. આ સ્કેમનો શિકાર થયેલી વ્યક્તિનું એકાઉન્ટ સંપૂર્ણ ખાલી થઈ જાય છે, જ્યારે શિકાર બનનારી વ્યક્તિ પોતાના એકાઉન્ટનો નંબરની ચાવી પણ સ્કેમર્સને આપી દે છે. શું સ્કેમ અને કઈ રીતે તમે એલર્ટ રહી શકો છો એની વાત કરીએ.
યુપીઆઈએ એલર્ટ કરી છે જાહેરાત
કોલ સ્કેમર્સ સ્કેમની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં યુપીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એલર્ટ જારી કરી છે. યુપીઆઈ પોતાની એલર્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ કોઈ જાણીતા મિત્ર યા પરિચિત મારફત કોલ કરે છે અને પછી બેંક એકાઉન્ટમાં સફાઈ કરી નાખે છે, જેમાં યુપીઆઈએ પોસ્ટમાં વિસ્તૃત રીતે જણાવ્યું હતું.
કોલ મર્જિંગ સ્કેમ કઈ રીતે થાય છે
આ સ્કેમમાં ફસાયેલી વ્યક્તિને ખબર પણ પડતી નથી કે તેને શિકાર બનાવવામાં આવી છે. સૌથી પહેલા સ્કેમર્સ જોબ, બિઝનેસ અથવા કોઈ ઈવેન્ટના ઈન્વિટેશન માટે તમને કોલ કરે છે, જેમાં તે તમારા દોસ્તનો રેફરન્સ આપે છે અને કહે છે કે તેને તમારો નંબર આપ્યો છે. એ જ વખતે તમારી સ્ક્રીન પર તમને બીજા નંબરનો વેઈટિંગ કોલ રિફ્લેક્ટ કરશે, જેને લઈ સ્કેમર્સ એવો દાવો કરે છે કે તે કોલ તમારા મિત્રનો છે અને બીજા નંબર પરથી કોલ કરી રહ્યો છે પછી તમારે એ કોલને રિસિવ કરીને એક કરવો જોઈએ.
Scammers are using call merging to trick you into revealing OTPs. Don’t fall for it! Stay alert and protect your money. 🚨💳 Share this post to spread awareness!#UPI #CyberSecurity #FraudPrevention #StaySafe #OnlineFraudAwareness #SecurePayments pic.twitter.com/kZ3TmbyVag
— UPI (@UPI_NPCI) February 14, 2025
જ્યારે તમે એ કોલને રિસિવ કરીને મર્જ કરો છો ત્યારે તમારા બેંક એકાઉન્ટ સંબંધિત ઓટીપી સ્કેમર્સ સાંભળી લે છે અને એકાઉન્ટમાં જમા રકમ સફાચટ કરી લે છે. વાસ્તવમાં જે કોલ તમારા દોસ્તને સમજીને મર્જ કરો છો એ બેંક તરફથી હોય છે. હવે બેંક ટ્રાન્ઝેક્શન દરમિયાન કોલ પર ઓટીપીની સુવિધા આપે છે અને તેનો ફાયદો સ્કેમર્સ લઈને તમને ચૂનો લગાવી શકે છે.
આ સ્કેમથી કઈ રીતે બચશો?
એક વખત સ્કેમરને ઓટીપી મળી ગયા પછી તમને શક્ય છે કે નુકસાન થઈ શકે છે, તેથી તમારે આ પ્રકારના સ્કેમથી બચવાનું જરુરી બને છે અને સાવધાની રાખવાનું જરુરી બની છે. સતર્કતા માટે સૌથી પહેલા તો ઉપરોક્ત માહિતી પર તમારે ધ્યાન રાખવાનું. અજાણ્યા કોલને ઉઠાવવાનું ટાળવું જોઈએ અને જો તમને આ બાબતની જાણકારી ના હોય તો તમે ચોક્કસ શિકાર બની શકો છો, તેથી ચેતતા નર સદા સુખી.