ડિપ્રેશનથી દૂર રહેવું છે અજમાવો આ ઉપાયો…
કામનું દબાણ અને તણાવભરી જીવનશૈલી એ લોકોની જિંદગીનો એક ભાગ બની ગયો છે. સ્ટ્રેસ અને ડિપ્રેશનની અસર માનસિક અને શારીરિક એમ બંને રીતે પડે છે. તણાવમાં રહેવાથી રોજિંદા જીવન પર અસર પડે છે, જેનાથી વ્યક્તિ ઉદાસ હોય કે ગુસ્સો કરતો વધારે થાય છે. સામાન્ય માણસની લાઈફસ્ટાઈલમાં ચિંતા એક ભાગ બની ગઈ છે. જો તેના પર સમયસર કાબૂ મેળવવામાં આવે નહીં તો તમે મોટી બીમારીના ભોગ બની શકો છો અથવા માનસિક રીતે બીમાર થઈ શકો છો. શક્ય એટલા નાની નાની વાતોમાં બહુ પોતાની જાતને ઈન્વોલ્વ કરશો નહીં. શક્ય એટલા સ્ટ્રેસ અને ડિપ્રેશનથી ખૂદને દૂર રાખવાની કોશિશ કરો.
બિનજરુરી ચિંતા કરવાનું ટાળો
સ્ટ્રેસ-ડિપ્રેશનને દૂર રાખવા માટે અપનાવો ટોપ ટેન સોલ્યુશન છે, જેના પર જો તમે અમલ કરી શકશો તો ચોક્કસ મોટી મુશ્કેલીમાં સપડાશો નહીં. સૌથી પહેલા તો ચિંતા પર કંટ્રોલ કરવો જોઈએ, તેનાથી ગંભીર બીમારી પણ ઊભી થઈ શકે છે. હંમેશા તમારા વિચાર પોઝિટિવ રાખો અને સકારાત્મક વિચારો માટે પણ તમે એના સંબંધિત વાંચન કરો, જેથી તમને નવું વિચારવાની તક મળી શકે. વધુ વિચારશો નહીં, જે તમારા હાથમાં નથી એના અંગે તમે વિચારશો નહીં. નાની-નાની વાતોમાં વધારે પડતું વિચારવાથી તમારા પણ દબાણ આવે છે, તેથી તમે બીજું કાંઈ વિચારી શકતા નથી. તમારી ભાવનાઓ પર અંકુશ રાખો, તેનાથી તણાવ-ચિંતા ઊભી થાય છે. નકામી વાતો વધુ પડતા ઈન્વોલ્વ થશો નહીં.
છઠ્ઠી બાબત એ છે કે તમે સમયનો સદુપયોગ કરો, તેનાથી તમે વ્યસ્ત રહી શકો છો અને એકાએક આવી પડેલા કામકાજને પણ તમે મેનેજ કરતા શીખી જશો. એક કામ એ પણ કરો, જે બાબતમાં તમે સૌથી વધુ ચિંતા ઊભી થતી હોય તેને પહેલાથી જાણી લો અને શક્ય એટલા તેને અવોઈડ કરો.
નશીલા પદાર્થો કે દારુનું સેવન નહીં કરો
ડિપ્રેશન યા સ્ટ્રેસને ઘટાડવા માટે કોઈ નશીલા પદાર્થો કે દારુનું સેવન કરશો નહીં. એટલું જ નહીં, કોઈ ડ્રગ્સનું પણ સેવન કરશો નહીં. નશીલા પદાર્થોનું સેવન કરવાથી તમને તેની આદત પડ્યા પછી વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે. બીમારી નહીં તો અન્ય કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. જો વારંવાર તમે ડિપ્રેશનના ભોગ બનતા હોય તો ડોક્ટર પાસે નિદાન કરાવવું જોઈએ, તેનાથી તમને સાચું માર્ગદર્શન મળી શકે છે.
અને છેલ્લે સૌથી મહત્ત્વની વાત ખાસ કરીને તમે તમારા વિશ્વાસુ યા મિત્ર કે પછી પરિવારના સભ્યો સાથે સમય વીતાવો. તેનાથી તમારા મનની વાત તેમને કહી શકશો. તમારા પરિવારના સભ્યોની વાતોને પણ સાંભળો, જેથી તમારા વિચારોનું આદાન પ્રદાન થવાથી તમે અન્ય સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.