કમનસીબીઃ આજના દિવસે એર ઈન્ડિયાનું ‘ગૌરીશંકર’ પ્લેન ક્રેશ થયું હતું, કેટલા પ્રવાસી બચ્યા હતા?
અકસ્માતો ઈતિહાસ બની જાય છે. અકસ્માતમાં ચાહે ટેક્નિકલ ખામી હોય કે પછી માનવીની પણ ગોજારા અકસ્માતો ભૂલી શકાતા નથી. અમદાવાદમાં પ્લેન ક્રેશ એર ઈન્ડિયાનું થયું હતું. એર ઈન્ડિયા માટે અમદાવાદનો અકસ્માત ભૂલી શકાય નથી, જ્યારે આજના દિવસે એર ઈન્ડિયાને સૌથી પહેલો અકસ્માતનો ઘા વાગ્યો હતો, જે આજ સુધી ભૂલી શકાયો નથી. ક્યાં અકસ્માત થયો હતો અને કેમ ભૂલી શકાય એમ નથી એની વાત કરીએ.
111 લોકો સવાર હતા
26 જૂન, 1982ના એર ઈન્ડિયાના બોઈંગ વિમાન ગૌરીશંકર મુંબઈમાં ક્રેશ થયું હતું. સિંગાપોર જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનમાં 111 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા, જે લેન્ડિંગ વખતે ભારે વરસાદ અને પવનને કારણે વિમાને સંતુલન ગુમાવતા ત્રણ ટુકડા થઈ ગયા હતા. આ વિમાને સિંગાપુરથી કુઆલાલમ્પુર અને ચેન્નઈથી મુંબઈ આવી રહ્યું હતું, ત્યારે મુંબઈમાં લેન્ડિંગ વખતે 111 પ્રવાસી હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર સવાર હતા.
કેટલા લોકો બચ્યા હતા
26 જૂન 1982ના દિવસે સવારના 4.37 વાગ્યાના સુમારે વિમાન લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે અકસ્માત થયો હતો, પરંતુ ચમત્કારની વાત એ હતી કે એ પ્લેન અકસ્માતમાં 82 લોકોનો જીવ બચી ગયા હતા. ગૌરીશંકર નામનું બોઈંગ વિમાન 707 હતું, જેમાં ચાર એન્જિન હતા. વિમાન લગભગ 400 ફૂટની ઊંચાઈ પરથી લેન્ડ કરી રહ્યું હતું, પરંતુ વરસાદને કારણે બેલેન્સ ગુમાવ્યું હતું. લેન્ડિંગ વખતે વિમાનમાં જોરદાર ધડાકો થયો અને એન્જિનમાં વિસ્ફોટ થયો હતો. પચાસ ફૂટ પર પ્લેન ઉછળ્યું હતું, ત્યારબાદ વિમાન સાથે ટકરાતા વિસ્ફોટ સાથે ત્રણ ટુકડા થઈ ગયા હતા.
ક્રેશ વખતે લોકો સૂતા હતા
પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે મોટા ભાગના લોકો સૂતા હતા. લેન્ડિંગની જાહેરાત પછી લોકો જાગી ગયા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ કોઈને ખબર નહીં કે પ્લેન ક્રેશ થઈને ત્રણ ટુકડા થઈ જશે. વિમાન જ્યારે રનવે પર રોકાયું હતો ત્રણ ટુકડા થઈ ગયા. આ અકસ્માત પછી પ્લેનમાં મુસાફરી કરી રહેલા 111 પ્રવાસી અને પાયલટ-ક્રૂ સહિતના લોકોમાંથી લગભગ 82 લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા, પરંતુ 17 લોકોનાં મોત અને 12 લોકોને ઈજા પહોંચી હતી. અમદાવાદના અકસ્માતની સામે 26 જૂનના મુંબઈના અકસ્માતને કમનસીબ ગણવો કે લકી પણ આ જ મહિનામાં ના ભૂલી શકાય એવા ગોજાર અકસ્માત આજીવન પીડિત લોકોના પરિવારોને ચોક્કસ યાદ રહેશે.