July 1, 2025
એસ્ટ્રોલોજી

સાત દિવસ બાદ સૂર્ય કરશે આ રાશિના જાતકોને માલામાલ…

Spread the love

ગ્રહોના સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને એની સાથે સાથે સૂર્ય અમુક ચોક્કસ સમયે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. હાલમાં સૂર્ય આ સમયે પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે અને 30મી ઓગસ્ટ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે. ત્યાર બાદ સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે.
સૂર્યના આ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી 12 રાશિના જીવનમાં પ્રભાવ પડશે. પણ 3 રાશિના જીવનમાં સૌથી વધુ પ્રભાવ પડશે. જાણો સૂર્યના પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં જવાથી કઈ રાશિઓને ખાસ લાભ થઈ રહ્યો છે. 30મી ઓગસ્ટના બપોરે 3 વાગીને 55 મિનિટે સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 13મી સપ્ટેમ્બરના રોજ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 નક્ષત્રોમાંથી આ 11મું નક્ષત્રછે અને આ નક્ષત્રનો સ્વામી શુક્ર ગ્રહ છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષ: મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે, જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. કારકિર્દીમાં પણ અપાર સફળતાની સાથે પ્રમોશન અને પગારવધારાની શક્યતાઓ છે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. નવા લાભ થશે.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ રહેલું ગોચર તેમની મહેનતનું પૂરેપૂરું ફળ આપશે. કરિયરમાં પણ સફળતા અને ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ રાશિના જાતકોને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે. આવક વધારવામાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સુધરશે. જીવનસાથી સાથે સારા સંબંધો સ્થાપિત થશે. તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેશે.
સિંહઃ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનું થઈ રહેલું ગોચર સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. વિદેશમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. વિદેશમાં વેપાર કરવાની કે વાત કરવાની સ્વતંત્રતા નથી. તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોવા મળશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલ લડાઈ અથવા વિવાદનો અંત આવી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!