July 1, 2025
ટ્રાવેલ

તાજ મહેલમાં પર્યટકો નહીં લઈ જઈ શકે પાણીની બોટલ, જાણી લો શું છે નવો નિયમ

Spread the love

તાજ મહેલએ પ્રેમની નિશાની હોવાની સાથે સાથે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને હવે આ તાજ મહેલ જોવા જનારા પર્યટકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પર્યટકો હવે મુખ્ય ગુમ્મટ સુધી પીવાના પાણીની બોટલ લઈને નહીં જઈ શકે. ભારતીય પુરાત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
પર્યટકો પર તાજ મહેલના મુખ્ય ગુમ્મટ સુધી પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પર્યટકો માત્ર ચમેલી ફર્શ સુધી જ પાણીની બોટલ લઈ જઈ શકશે, એવું આદેશમાં જણાવવામાં આવ્યું છે. પરિસરમાં તહેનાત સુરક્ષાકર્મીઓ આ વાતની ચોકસાઈ કરશે અને ચમેલી ફર્શથી આગળ જનારા પર્યટકોએ પોતાની પાસે રહેલી પાણીની બોટલ ત્યાં જ કચરાપેટીમાં ફેંકીને આગળ જવું પડશે.
આ નવો નિયમ પુરાતત્વ વિભાગ દ્વારા સોમવારથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમને કારણે ગરમીમાં કે ઉકળાટભર્યા દિવસોમાં પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ નવો નિયમ તાજ મહેલ ગંગાજળ ચઢાવવાની અને ભગવો ફરકાવવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને બનાવવાં આવ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આ નિર્ણયને ઉત્તર પ્રદેશ ટુરિસ્ટ ગાઈડ વેલ્ફેયર એસોસિએશને પર્યટકો માટે મુશ્કેલ ગણાવ્યો હતો. બીજી બાજુ પુરાતત્ત્વ વિભાગનું એવું કહેવું છે કે આ નિર્ણય લેતાની સાથે જ પર્યટકો માટે પહેલાંથી જ મુખ્ય ગુંબજ પાસે એએસઆઈ દ્વારા પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લાસ્ટિકની બોટલના વધતા વપરાશને કારણે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને પર્યાવરણના જતનનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉપરાંત, પાણીના વેડફાટને પણ રોકી શકાશે. પ્લાસ્ટિકની બોટલના વપરાશને કારણે તેનો રિયુઝ પણ કરી શકાતો નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!