પહલગામના હુમલામાં મહારાષ્ટ્રના 6 નાગરિકના મોતઃ બુલઢાણાનો જૈન પરિવાર બચ્યો
રેલવેના એન્જિનિયર સહિત ડોંબિવલીના ત્રણનાં મોત, નાગપુરનો પરિવાર જીવ બચાવવામાં સફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા, જેમાં 6 મહાષ્ટ્રના રહેવાસી હતી, જ્યારે બે ઘાયલ પણ થયા છે. આ હુમલામાં માર્યા જનારા પૈકી ત્રણ ડોંબિવલીના છે, જેમાં મૃતકની ઓળખમાં અતુલ મોને, સંજય લેલે અને હેમંત જોશી તરીકે કરી છે. ત્રણેય જણ પોતાના પરિવાર સાથે કાશ્મીર ગયા હતા. શનિવારે પોતાના પરિવાર સાથે કાશ્મીર ગયા ત્યારે આ હુમલાનો શિકાર બન્યા હતા. જોકે, તેમના મોતને કારણે સમગ્ર વિસ્તારના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ત્રણના મોત સિવાય મહારાષ્ટ્રના અન્ય ત્રણ નાગરિકમાં દિલીપ ડિસલે (પનવેલ)નું મોત થયું હતું. આ હુમલામાં પુણેના સંતોષ જગદાલે અનેકૌસ્તુભ ગનબોટેને ગોળી વાગી હતી તથા સંતોષ જગદાળેની પત્નીને પણ ગોળી વાગી હતી, પરંતુ તેમની સારવાર ચાલી રહી છે. સદ્નસીબે એના સિવાય નાગપુરના એક પરિવારને હુમલાની જાણ થયા પછી જીવ બચાવી લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે બુલઢાણાના પરિવારને હોટેલના સ્ટાફે એલર્ટ કર્યા પછી પહલગામ ફરવાનું મોકૂફ રાખ્યું હતું.
સાથે મિત્રોને લઈ ગયો અને મોત મળ્યું
મુંબઈની પરેલ સ્થિત સેન્ટ્રલ રેલવે વર્કશોપના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર અતુલ મોનેનું મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકવાદી હુમલામાં મોત થયું. બે મહિના પહેલા કાશ્મીરની યોજના બનાવી હતી અને સંબંધી હેમંત જોશી અને સંજય લેલેનો પરિવાર પણ સાથે ગયો હતો. આતંકવાદી હુમલામાં અતુલ, હેમંત અને સંજયને આતંકવાદીઓએ ગોળી મારી હતી. તેમનો ધર્મ પૂછ્યો અને માથા અને પીઠ પર ગોળી મારી હતી. ત્રણ જણનાં મોતને કારણે પરિવાર અને સંબંધીઓને જોરદાર આઘાત લાગ્યો છે.
વર્કશોપના કર્મચારીઓ આઘાતમાં
43 વર્ષના મોને થાણેના ડોંબિવલીના રહેવાસી હતો. પરિવાર અને દોસ્તો સાથે કાશ્મીર ફરવા ગયા હતા. મંગળવારે સાંજના સાડા પાંચ વાગ્યે ટીવી પર સમાચાર મળ્યા ત્યારે તેની સાથે કામ કરનારા રાજેશ નાદરે ફોન કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. થોડા સમય પછી તેના મોતના સમાચાર મળ્યા હતા. તેના મોતના સમાચારથી વર્કશોપના કર્મચારીઓને આઘાત લાગ્યો હતો.
હોનહાર એન્જિનિયર ગુમાવ્યો
અતુલ મોને ડોંબિવલીનો રહેવાસી હતો, જે વર્કશોપમાં વ્હીલ શોપમાં કાર્યરત હતો. સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે કામ કરતા હતા તથા પરિવારની સાથે દોસ્તોને લઈને એક અઠવાડિયાની રજા લઈને કાશ્મીર ગયો હતો. સાથી કર્મચારી રાજેશ નાદરે કહ્યું હતું કે મંગળવારે સાંજના હુમલાના સમાચાર જાણવા મળ્યા ત્યારે લાગ્યું નહોતું કે તેનું મોત થશે. તે એક પ્રતિભાશાળી એન્જિનિયર હતો. શાંત અને મિલનસાર વ્યક્તિ હતો. ક્યારેય સપનામાં વિચાર્યું નહોતું કે તેનું આ રીતે મોત થશે. અતુલ મોનેના મોતના સમાચારથી પરેલ સ્થિત વર્કશોપના કર્મચારીઓને દુખમાં ગરકાવ થઈ ગયા હતા. એક કર્મચારીએ કહ્યું કે સવારે વર્કશોપમાં ચહલપહલ હતી, પરંતુ મોનેના મોતના સમાચારથી વર્કશોપમાં સોંપો પડી ગયા હતો. વર્કશોપમાં કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
બુલઢાણાના જૈન પરિવાર બચી ગયો
બુલઢાણાના જૈન પરિવારને એલર્ટ સ્ટાફે ચેતવવાને કારણે જીવ બચ્યો હતો. કાશ્મીરના પાંચ દિવસની ટૂર પર નીકળેલા જૈન પરિવાર સાઈટસીન માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે હોટેલના સ્ટાફે કહ્યું હતું કે ફાયરિંગનો અવાજ સાંભળ્યો છે, તેથી આજે નહીં તો આવતીકાલે ફરવાનું રાખો. જોકે, એના બનાવ પછી 28 લોકોના મોત થયાના સમાચારથી પરિવાર ડરી ગયો હતો, એમ બુલઢાણાના જૈન પરિવાર (અરુણ, ઋષભ, શ્વેતા, નિલેશ અને પારસ)એ જણાવ્યું હતું. સોનમર્ગ, ગુલમર્ગ પછી પહલગામ ફરવા જવાના હતા, પરંતુ સ્ટાફને કારણે જીવ બચ્યો હોવાનું જણાવ્યું હતું.
નાગપુરનો એક પરિવાર આતંકવાદી હુમલા વખતે પહલગામમાં હતો. પણ આતંકવાદીઓની ગોળીઓનો અવાજ સાંભળ્યા પછી પહાડી ક્રોસ કરીને ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. ભાગતી વખતે પગમાં ફ્રેકચર થયું હતું. સિમરન રુપચંદીની અને તિલક અને ગર્વ રુપચંદાનીનો પરિવાર સુખરુપ બચતા રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો
પહલગામમાં આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીનાં મોત