106 વર્ષ જૂની દસ રુપિયાની બે નોટ્ની લિલામી થશે, જાણો કેમ?
દસ-દસ રુપિયાની બે 106 વર્ષ જૂની નોટ (106 year old two notes will be auction)ની હરાજી યોજવામાં આવશે. દસ રુપિયાની નોટની શા માટે હરાજી થાય અને એનું શું ઉપજે તમારા મનમાં આ સવાલ થતો હશે પણ હકીકત છે કે લંડનમાં 29મી મેના આ બે નોટની હરાજી થવાની છે.
જૂની કરન્સી નોટની હંમેશાં હરાજી થતી હોય છે, જે એકદમ દુર્લભ હોય છે. હવે 1918ની બે કરન્સી નોટનું ઓક્શન લંડનમાં થશે. આ બંને નોટની લિલામી 29મી મેના બુધવારે યોજવામાં આવશે.
ચાલો થોડા ઈતિહાસ સાથે જાણીએ.106 વર્ષ પહેલા આ નોટ એસએસ શિરાલા નામના શિપના કાટમાળમાંથી મળી હતી. તમારી જાણ ખાતર જણાવીએ કે આ નોટ પર સાઈન નથી. અને એની ક્વોલિટી પણ એકદમ સાફ છે. રિપોર્ટસ અનુસાર આ નોટના કાગળ પણ એકદમ દુર્લભ છે.
એસએસ શિરાલા જર્મનીની એક યુ બોટ (સબમરીન)ના હુમલામાં ભોગ બન્યા હતા. આ જહાજમાં 213 લોકો સવાર હતા, જેમાં આઠ લોકો મરી ગયા છે. આઠ મૃતકમાં સાત ભારતીય હતા. નોટ પરની તારીખ 25 મે 1918 હતી.
આ કરન્સી નોટને બેંક ઓફ ઈન્ગલેન્ડમાં પ્રિન્ટ કર્યા હતા. એ વખતે એસએસ શિરાલા પર હુમલો થયો હતો અને એ વખતે જહાજમાં પાંચ હજાર ટનનો સામાન હતો. એટલું જ નહીં, જહાજમાં ભારતીય કરન્સીના અસલી પેપર પણ હતા.
મીડિયાના અહેવાલ અનુસાર આ જહાજ તો ડૂબી ગયું હતું, પરંતુ નોટ પાણીમાં વહીને બ્રિટનના દરિયાઈ કિનારે પર આવી ગયો હતો, જેમાં દસ રુપિયાની નોટ સિવાય એક અને પાંચ રુપિયાની નોટનો સમાવેશ થાય છે. એ વખતે શિપ પરના અધિકારીઓએ નોટોને પોતાની પાસે રાખે હતી. રિપોર્ટસ અનુસાર અમુક નોટ્સ ફાડી નાખવામાં આવી હતી.
લંડનમાં ઓક્શન હાઉસ નુનાન્સમાં દુર્લભ નોટ-સિક્કા, પેન્ટિંગ સહિત અન્ય કરન્સીનું ઓક્શન થશે. આ નોટની જોરદાર સ્ટોરી છે કે આ જહાજમાં નોટના બ્લોક્સ અને ઓરિજનલ પેપ પણ હતા, જેથી એને બોમ્બે લઈ જઈને નોટ છાપી શકાય. કહેવાય છે કે આ બંને નોટના લોટ 474 અને 475 નક્કી કરવામાં આવ્યા છે. આ બંને નોટની લિલામી 29મી મેના થશે. આ નોટની લિલામી 2.1 લાખથી 2.70 લાખની આસપાસ થઈ શખે છે. આ બંને નોટ હસ્તાક્ષર વિનાની અને શાનદાર ક્વોલિટીવાળી છે.